ડભોઇના MLA એ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

VADODARA
ડભોઇ વિધાનસભામાં આવતા ભાયલી વિસ્તારમાં અશાંત ધારા લાગું કરવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્ય મંત્રીને લખ્યો પત્ર. ભાયલી વિસ્તારનો વિકાસ વધી રહ્યો છે. દરેક જ્ઞાતિ-ધર્મના લોકો મિલકતો ખરીદી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અશાંત ધારો લગાવવા પત્રમાં કરાયો ઉલ્લેખ. 

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું, વડોદરા શહેર નજીક આવેલ ભાયલી વિસ્તારમાં અનેક સોસાયટીઓ, કોર્પોરેટ હાઉસ, કોમર્શિયલ કોમ્પલેક્ષ આવેલા છે. અને બની રહ્યા છે. ભાયલી વિસ્તારનો વિકાસ ઝડપભેર વધી રહ્યો છે. લઘુમતી સમાજની સંખ્યા વધતા અન્ય વર્ગનાં હિન્દુ વર્ગ સ્થળાંતર કરતા સંકોચ અનુભવી રહ્યા છે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાયલી વિસ્તારમાં બનેલી અને બની રહેલી નવી સોસાયટીઓમાં અને આવાસ યોજનામાં તથા અન્ય જગ્યાઓ ઉપર લઘુમતી સમાજ વસ્તી વધતી હોવાથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *